બકરી ચરાવનારને કોરોના, 47 બકરીઓનો કોરોના ટેસ્ટ અને કરાઈ ક્વોરન્ટીન

બેંગાલુરુઃ કર્ણાટકમાં એક બકરી ચરાવાવાળાને કોરોના સંક્રમણ થતા તેની 47 બકરીઓને ક્વોરન્ટીન કરવામાં આવી છે તેટલું જ નહીં આ બકરીઓનો સ્વેબ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. આ અજબ ઘટના બેંગુલુરુથી 127 કિમી દૂર આવેલ તુમકુરૂ જિલ્લાના ગોડકેરે ગામની છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:


જિલ્લાના પશુપાલન વિભાગના એક અધિકારીએ કહ્યું કે ગૌરલહકટ્ટી તાલુકામાં લગભગ 300 ઘર છે. અહીંની વસ્તી લગભગ 1000 જેટલી છે. અહીં આ પશુપાલક સહિત બે લોકો પોઝિટિવ મળી ચૂક્યા છે. તેમજ 4 બકરીઓના શંકાસ્પદ મોત થયા છે. જેથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે કે બકરી દ્વારા પણ કોરોના ફેલાઈ શકે કે શું?


ભોપાલ મોકલવામાં આવ્યા સેમ્પલ


મંગળવારે જિલ્લા પશુ અધિકારી ટીમ સાથે ગામડે પહોંચ્યા હતા અને બકરીઓને ગામની બહાર ક્વોરન્ટીન કરવામાં આવી છે. તેમજ બકરીઓના સ્વેબના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે આ નમૂનાને પશુ આરોગ્ય અને પશુ ચિકિત્સા સંસ્થાન ભોપાલમાં મોકલવામાં આવ્યા છે. પશુપાલન વિભાગના સચિવ પી. મનીવન્નનએ કહ્યું તેમની જાણકારીમાં તમામ માહિતી છે અને મૃત બકરીઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ચે. બકરીઓના સેમ્પલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એનિમલ હેલ્થ એન્ડ વેટરનરી બાયોલોજિકલ્સ મોકલવામાં આવ્યા છે.


IAHVBના નિર્દેશક ડો. એસ.એમ. બાયરેગૌડાએ કહ્યું કે હજુ સુધી એવો કોઈ કેસ સામે નથી આવ્યો માણસોમાંથી પ્રાણીઓમાં આ વાયરસ ફેલાયો હોય. પરંતુ હાલ આ સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા છે કેમ કે અમારી પાસે તપાસ કરવા માટે જરુરી કિટ નથી. અમેરિકામાં GKVKમાં પ્રો. બીએલ ચિદાનંદે કહ્યું કે કોરોના વાયરસ જેવા જૂનોટિક વાયરસ સામાન્ય રીતે પ્રાણીઓમાંથી માણસમાં ફેલાય છે પણ માણસમાંથી પ્રાણીઓમાં નહીં.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...