લગ્નના 4 જ દિવસમાં કપલે કરી આત્મહત્યા, 4 વર્ષથી એકબીજાને કરતા હતા પ્રેમ

4 વર્ષથી એકબીજાને ઓળખતા હતા અને પરિવારની સંમતિથી લગ્ન કર્યા




ગાઝિયાબાદઃ
ઉત્તર પ્રદેશમાં દિલ્હીની નજીક આવેલ ગાઝિયાબાદમાં એક નવવિવાહિત કપલે રહસ્યમય સંજોગોમાં લગ્નના 4 જ દિવસમાં આત્મહત્યા કરી. જોકે બંનેએ શા માટે આત્મહત્યા કરી તેનું કોઈ સ્પષ્ટ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. અમારી હિન્દી ન્યુઝવેબસાઈટ નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ લગ્નના ચોથા દિવસે પહેલા યુવકે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી ત્યારબાદ પત્નીએ પંખે લટકીને આત્મહત્યા કરી લીધી. જેનાથી બંનેના પરિવારને દુઃખનો ઊંડો આઘાત લાગ્યો છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:


લગ્નના ચોથા દિવસે જ યુવકે કરી આત્મહત્યા


પ્રતિકાત્મક તસવીર

અહેવાલ મુજબ ગાઝિયાબાદના ગોવિંદપુરમમાં કોચિંગ સેન્ટર ચલાવનારા શિક્ષક અને નોઈડાની એક પ્રતિષ્ઠિત કંપનીમાં ઉચ્ચ પદ ઉપર કાર્યરત યુવતીના લગ્ન 29 જૂનના દિવસે થયા હતા. આ ઘટનાથી બંને પરિવાર ઉપર શોકનો માહોલ છવાયો છે. હજી સુધી નવદંપતિનું આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. મળતી માહિતી પ્રમાણે આત્મહત્યા કરનાર શિક્ષકનું નામ વિશાલ અને તેમની પત્નીનું નામ નિશા છે. વિશાલ પ્રજાપતિ અને નિશા પહેલાથી એકબીજાના ઓળખતા હતા. તેમની વચ્ચે છેલ્લા 4 વર્ષથી એકબીજાને ઓળખતા હતા અને ખૂબ સારા મિત્ર હતા. બંને વચ્ચેના પ્રેમ સંબંધ અગે જાણીને અલગ અલગ જ્ઞાતિના હોવા છતાં બંનેના પરિવારોની સહમતિથી 29 જૂનના રોજ લગ્ન થયા હતા.


ત્યારબાદ થોડાક જ દિવસમાં યુવતીએ પણ કરી આત્મહત્યા



લગ્ન પછી વિશાલના ઘરે ત્રણ દિવસ જશ્નનો માહોલ રહ્યો હતો. પરંતુ બે જુલાઈએ બપોરે કોચિંગ ક્લાસ જવા માટે નીકળેલો વિશાલ મોડી રાત સુધી પરત ન આવ્યો ત્યારે પરિવારને ચિંતા થવા લાગી હતી. આખી રાતે તેને શોધ્યો હતો. પરંતુ તે મળ્યો ન હતો. છેવટે ત્રણ જુલાઈએ રેલવે ટ્રેક ઉપર વિશાલની લાશ મળી હતી. બીજી તરફ નિશાના પરિવારના લોકો અંતિમ સંસ્કાર થયા પછી ત્રણ જુલાઈએ સાંજે તેને પીયર લઈ ગયા પરંતુ ચાર જુલાઈની સવારે નિશા પણ પોતાના રુમમાં બંધ ફંદામાં લટકતી મળી હતી.


પોલીસને નથી મળ્યા હજુ કોઈ સગડ


પ્રતિકાત્મક તસવીર

પોલીસ સ્ટેશનના પ્રભારીના જણાવ્યા પ્રમાણે બંને પરિવારથી એક સાથે અને અલગ અલગ પૂછપરછ થઈ ચૂકી છે. પરંતુ કોઈપણ વ્યક્તિ કંઈ પણ બતાવવા માટે સમર્થ નથી. જોકે અત્યારે પોલીસે બંનેના મોબાઈલ ફોન કબજે લઈને તપાસ શરૂ કરી છે. બંનેની કોલ ડિટેઈલથી લઈને ચેટ સુધી તપાસવામાં આવશે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...