મુંબઈથી જાતે 350 કિમી કાર ચલાવી પંઢરપુર દર્શન કરવા પહોંચ્યા મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે
357 કિમી જાતે ગાડી ચલાવી પહોંચ્યા ઉદ્ધવ ઠાકરે

સોલાપુરઃ અષાઢી એકાદશી નિમિત્તે પંઢરપુરમાં આવેલ વિઠ્ઠોબા મંદિરમાં વિઠ્ઠલનાથની મહાપૂજા કરવા માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પત્ની રશ્મી ઠાકરે મુંબઈથી પંઢરપૂર આવ્યા હતા. આ સમેય મુખ્યમંત્રીએ પોતાની ગાડી જાતે ચલાવી હતી અને મુંબઈથી પંઢરપૂર અને પંઢરપૂરથી મુંબઈનો પ્રવાસ આ રીતે ખેડ્યો હતો. મહારાષ્ટ્રમાં કોઈ મુખ્યમંત્રી આ રીતે જાતે ગાડી ચલાવીને પંઢરપૂર ભગવાન વિઠ્ઠલનાથના દર્શન કરવા પહોંચ્યા હોય તેવું પહેલીવાર બન્યું છે. કહેવાય છે કે કોરોનાના વધતા કેસ વચ્ચે મુખ્યમંત્રીને આ નિર્ણય લેવો પડ્યો હતો.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
અષાઢી એકાદશીને દિવસે થાય છે વિટ્ઠલનાથની વાર્ષિક પૂજા

મહારાષ્ટ્રમાં વધતા કોરોનાના કેસને લઈને મુખ્યમંત્રી ઠાકરેએ પોતે જ પૂર્ણ કાળજી લેવાની શરુ કરી દીધી છે. ઘરની બહાર નીકળતા પહેલા તેઓ માસ્ક અવશ્ય પહેરે છે અને બને તો દરેક બેઠક ઓનલાઈન લેવાય તેની પૂરતી તકેદારી લે છે. આ ઉપરાંત ક્યાંય પણ જવું હોય તો પોતે જ કાર ચલાવીને જાય છે. પંઢરપૂર જવા માટે પણ તેમણે ડ્રાઈવરની જગ્યાએ પોતાની કાર ચલાવી તેમની સાથે પત્ની રશ્મી ઠાકરે, પુત્ર અને રાજ્યના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે, ધારાસભ્ય મિનિંદ નાર્વેકર હતા.
રાજા તરીકે રાજ્યના મુખ્યમંત્રી કરે છે આ પૂજા

મધ્યરાત્રીએ પંઢરપૂર પહોંચ્યા પછી અઢી વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના હસ્તે પાંડુરંગની મહાપૂજા કરવામાં આવી. તેમણે મહારાષ્ટ્ર અને દેશ પરથી કોરોના સંકટ દૂર કરવા માટે ભગવાનને પ્રાર્થના કરી અને ત્યારબાદ દરવર્ષે આ સમયે યોજાની પંઢરપૂરની યાત્રામાં આવતા ભક્તો જેને વારકરી કહેવાય છે તેમની સાથે સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું કે અહીં કોઈ મુખ્યમંત્રી નથી કે નથી કોઈ અધિકારી અહીં બધા વિઠ્ઠોબાના ભક્ત છે. મે સપને પણ નહોતું વિચાર્યું કે વિઠ્ઠોબાની આ પૂજા મને કરવા મળશે તેમાં પણ એવું તો ક્યારેય વિચાર્યું નહોતું કે આવા સંજોગો હશે.
લાખોની સંખ્યમાં મહારાષ્ટ્રના ખૂણે ખૂણેથી ભક્તો આ યાત્રા માટે પહોંચે છે

મહત્વનું છે કે દરવર્ષે અષાઢી દેવ શયની એકાદશીના દિવસે રાજ્યભરમાંથી લોકો પંઢરપુર પગપાળા ચાલીને આવે છે. લાખોની સંખ્યામાં લોકો અહીં આવે છે. જોકે કોરોના મહામારીના કારણે આ વર્ષે આ યાત્રા મોકૂફ રાખવામાં આવી છે અને પંઢરપુરમાં પણ મંદિર અને તેની આસપાસના વિસ્તારમાં સંચારબંદી લાગુ કરવામાં આવી છે. ત્યારે વર્ષો બાદ પહેલીવાર અષાઢી એકાદશીના દિવસે ચંદ્રભાગા નદીના ઘાટથી લઈને રુક્મણી માતાનું મંદિર અને પંઢરપુરની શેરીઓ ખાલીખમ જોવા મળી હતી.
Comments
Post a Comment