અનલોક-2ઃ ગુજરાત સરકારે જાહેર કરી ગાઈડલાઈન, આજથી મળશે આ છૂટછાટો
અનલોક 2 માટે ગુજરાત સરકારે બહાર પાડી ગાઈડલાઈન

અમદાવાદ: કેન્દ્ર સરકારે ગઈકાલે અનલોક-2ને લઈને ગાઈડલાઈન બહાર પડાઈ હતી. ગુજરાત સરકારે તે ગાઈડલાઈનનો અભ્યાસ કરી પછી નિર્ણય લેવાની વાત કરી હતી. મંગળાવરે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પણ રાજ્યમાં અનલોક-2ને લઈને ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં 1લી જુલાઈથી રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. આ નવી ગાઈડલાઈન 31 જુલાઈ સુધી અમલી રહેશે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial
કન્ટેઈનમેન્ટ અને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં છૂટ નહીં

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બહાર પડાયેલી ગાઈડલાઈન મુજબ કન્ટેટમેન્ટ ઝોનમાં લોકડાઉન 31 જુલાઈ સુધી યથાવત રહશે. જ્યારે કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારોમાં કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબની પ્રવૃત્તિઓ ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ…
1. રાજ્યમાં રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી (7 કલાક) કરફ્યુ રહશે.
2. કન્ટેનમેન્ટ ઝોન/માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સવારે 7થી સાંજે 7 દરમિયાન માત્ર જરૂરી સેવાઓને જ છૂટ આપવામાં આવશે.
3. કન્ટેનમેન્ટ/માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં અન્ય બધી આર્થિક પ્રવૃત્તિઓને મંજૂરી (લિસ્ટમાં જણાવ્યા સિવાયની). દુકાનો 8 વાગ્યા સુધી અને રેસ્ટોરન્ટ્સ 9 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.
4. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન મુજબ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાશે. કન્ટેનમેન્ટ ઝોનની યાદી જે-તે જિલ્લાના કલેક્ટરો અને રાજ્ય સરકાર દ્વારા વેબસાઈટ પર મૂકવામાં આવશે.
5. કારીગરો/કર્મચારીઓ/દુકાનદારો, જેમના ઘર કન્ટેનમેન્ટ/માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન્સમાં આવે છે તેમને કન્ટેનમેન્ટ/માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની બહાર જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
એસટીની બસો ચાલુ રહેશે

6. રાજ્ય સરકાર દ્વારા જીએસઆરટીસી બસનું સંચાલન કરવામાં આવશે અને અમદાવાદમાં બસ સર્વિસ અગાઉ જણાવેલા ડેપો પરથી સંચાલિત થશે.
7. સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયાને ખોલવાની મંજૂરી અપાશે, જોકે, દર્શકો અને ભીડ એકઠી કરવાની મંજૂરી નહીં મળે. ટેલિકાસ્ટ કરવા પર કોઈ પ્રતિબંધ નહીં હોય.
કઈ બાબતોની અપાઈ છૂટ



8. હાલના તબક્કામાં આ એક્ટિવિટીઝમાં શરતો સાથે રાહત આપવામાં આવી છે. જોકે, આ યાદીનો સમયાંતરે રિવ્યુ કરવામાં આવતો રહેશે.
9. રાજ્યો વચ્ચે અને રાજ્યમાં વ્યક્તિઓ અવરજવર અને માલસામાનની હેરફેર પર કોઈ રોક નહીં હોય. તેમાં પડોશી દેશો સાથેના કરાર મુજબ સરહદ પારના વેપારનો પણ સમાવેશ થાય છે. આવી કોઈ બાબત માટે અલગથી મંજૂરી/માન્યતા/ઈ-પરમિટની જરૂર નહીં પડે.
માસ્ક પહેરવું છે ફરજિયાત

10. 65 વર્ષથી ઉપરની વ્યક્તિઓ, અન્ય બીમારીથી પીડાતી વ્યક્તિ, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી નાના બાળકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
11. જાહેર સ્થળો, કામકાજની જગ્યાઓ અને મુસાફરી દરમિયાન ફેસ કવર પહેરવું ફરજિયાત છે. તેમ ન કરવા પર 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જ્યારે જાહેરમાં થૂકનારા પાસેથી પણ 200 રૂપિયાનો દંડ વસૂલાશે.
12. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપેલા દિશા-નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
Comments
Post a Comment