કોરોનાઃ અમદાવાદથી આગળ નીકળ્યું સુરત, છેલ્લા 24 કલાકમાં 201 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં હવે સુરત અમદાવાદથી આગળ નીકળી ગયું છે. સુરતમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અમદાવાદ કરતા સુરતમાં વધારે કેસ નોંધાયા છે. સુરતમાં 201 નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં 165 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કેસની સંખ્યા કરતા ડિસ્ચાર્જ થનારા કેસની સંખ્યા વધારે છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


અમદાવાદમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 165 નવા કેસ નોંધાયા છે પરંતુ તેની સરખામણીમાં ડિસ્ચાર્જ થયેલા લોકની સંખ્યા વધારે છે. જેમાં 211 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. જ્યારે 9 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ જિલ્લામાં સાત નવા કેસ નોંધાયા છે અને 17 લોકો ડિસ્ચાર્જ થયા છે.


જોકે, સુરતમાં કેસની સંખ્યા વધી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 201 નવા કેસ નોંધાયા છે અને 109 લોકો ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લામાં 52 કેસ નોંધાયા છે. સુરતમાં ચાર લોકોના મૃત્યુ થયા છે. સુરતમાં વધતા રહેલા કેસને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે સુરતની મુલાકાત લીધી હતી અને ત્યાં કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે અને ચેપને નિયંત્રણમાં રાખવા શું કરવું જોઈએ તેની સમીક્ષા કરી હતી.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...