ચીન, કોરોના, અનલોક-2…પીએમ મોદી આજે સાંજે 4 વાગ્યે દેશને સંબોધિત કરશે
પીએમઓ કાર્યાલયે આપી જાણકારી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે 4 વાગ્યે દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલયે એક ટ્વિટમાં આ જાણકારી આપી છે. અનલોક-2ની ગાઈડલાઈન જાહેર કરાઈ અને 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકાયો તે પછી પીએમ મોદીના રાષ્ટ્રને નામ સંબોધનના કાર્યક્રમની જાહેરાતે ઘણા તર્ક-વિતર્કો ઊભા કર્યા છે. બધાના મનમાં એક જ પ્રશ્ન છે કે, આવતીકાલે પીએમ મોદી કઈ બાબતો પર વાત કરશે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial
કયા મુદ્દા પર વાત કરશે પીએમ મોદી?
Prime Minister @narendramodi will address the nation at 4 PM tomorrow.
— PMO India (@PMOIndia) June 29, 2020
માનવામાં આવી રહ્યું છે કે, તેઓ કોરોના અને ચીનની સાથે સરહદ પર ચાલી રહેલા વિવાદ વિશે વાત કરી શકે છે. તેઓ આત્મનિર્ભર ભારત અભિયાનને આગળ વધારવા પર ભાર આપી શકે છે.
ભારત સરકારે 59 ચાઈનીઝ એપ પર મૂક્યો પ્રતિબંધ

આ પહેલા ભારત-ચીન તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. પ્રતિબંધિત કરાયેલી એપમાં જાણીતી ટિક-ટોક એપ પણ સામેલ છે. તે ઉપરાંત યુસી બ્રાઉઝર, કેમ સ્કેનર જેવી બીજી ઘણી જાણીતી એપ સામેલ છે. આ પહેલા ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાઈનીઝ એપની એક યાદી તૈયાર કરી કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી હતી કે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે કે પછી લોકોને કહેવામાં આવે કે તેને તાત્કાલિક પોતાના મોબાઈલમાંથી હટાવી દે. તેની પાછળ દલીલ કરવામાં આવી હતી કે, ચીન ભારતીય ડેટા હેક કરી શકે છે.
અનલોક-2 દિશાનિર્દેશ
તે પછી રાત્રે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલોક-2 માટે નવા દિશા-નિર્દેશ જારી કરી દીધા. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરાયેલી ગાઈડલાઈનમાં જણાવાયું છે કે, અનલોક-2માં શું ખુલ્લું રહેશે અને કોના પર પ્રતિબંધ ચાલુ રહેશે. અનલોક-2નો સમયગાળો 31 જુલાઈ સુધી રહેશે. આ દરમિયાન સ્કૂલ, કોલેજ, શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ 31 જુલાઈ સુધી બંધ રહેશે. આંતરાષ્ટ્રીય ફ્લાઈટ સંચાલિત નહીં થાય અને મેટ્રો પણ નહીં ચાલે. તે ઉપરાંત સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, બાર અને એસેમ્બલી હોલ બંદ રહેશે.
Comments
Post a Comment