સુરતમાં કોરોનાનો ભરડો વધુ કસાયો: ચાર ડૉક્ટરનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ

સુરત: સુરતમાં કોરોના મહામારીના ત્રણ મહિનામાં પહેલીવાર એક જ દિવસમાં 200થી વધુ કેસ નોંધાયા છે. સોમવારે નોંધાયેલા કેસોમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં સોમવારે 185 કેસ નોંધાયા છે જે એક દિવસમાં સૌથી વધુ કેસનો આંકડો છે.


SMCના અધિકારીએ જણાવ્યું કે, દર્દીઓની સારવાર કરતા ચાર ડૉક્ટરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેમાં ખાનગી હોસ્પિટલના 3 ડૉક્ટર અને સિવિલ હોસ્પિટલના એક ડૉક્ટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 33 દર્દીઓ એવા છે ડાયમંડ યુનિટ સાથે સંકળાયેલા છે. સોમવારે 170 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.


દરમિયાન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને વાયરસના ફેલાવોને રોકવા માટે વરાછા (એ), વરાછા (બી), કતારગામ અને અન્ય ક્લસ્ટર કન્ટેઈનમેન્ટ ઝોન જેવા હોટસ્પોટ્સમાં સ્ટ્રીટ ફૂડના સ્ટોલ્સ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.


સુરતના ગ્રામીણ વિસ્તારોમાં પણ 32 નવા કેસો નોંધાતા કુલ સંખ્યા 525 થઈ ગઈ છે. ઓલપાડ તાલુકાના ઇશાનપુર ગામના 57 વર્ષીય વ્યક્તિનું મોત થતા સુરત જિલ્લામાં કુલ મૃત્યુઆંક 15 પપર પહોંચ્યો છે. જ્યારે સુરતના કામરેજ તાલુકામાં સૌથી વધુ 15 કેસ નોંધાયા છે. આ ઉપરાંત નવસારી જિલ્લામાં સોમવારે નવા પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે.


સુરતમાં ખાસ કરીને છેલ્લા એક અઠવાડિયામાં કોરોના પોઝિટિવ કેસનો આકંડો સતત વધી રહ્યો છે. પહેલા સુરતમાં દરરોજ કોરોનાના 50-70 જેટલા કેસ નોંધાતા હતા. પરંતુ હવે તે વધીને 150-200 થયા છે. જુલાઈમાં તેમાં પણ વધારે થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...