પાકિસ્તાનમાં ટ્રેન સાથે અથડાઈ બસ, 19 શીખ શ્રદ્ધાળુઓના મોત

ફારુખાબાદ: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શુક્રવારે એક મોટો ટ્રેન અકસ્માત થઈ ગયો. અહીં એક પેસેન્જર ટ્રેન સાથે શ્રદ્ધાળુઓથી ભરેલી એક બસ અથડાઈ ગઈ. ઘટનામાં ઓછામાં ઓછા 19 શીખ શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા અને 12 જેટલા ઘાયલ થયા છે. જણાવાઈ રહ્યું છે કે, ખુલ્લા ક્રોસિંગ પર આ ઘટના બની છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial



શેખુપુરા જિલ્લાના પોલીસ ઓફિસર ગાઝી સલાહુદ્દીને ઘટનાની જાણકારી આપી છે. ઘટના પંજાબના શેખુપુરામાં ફારુખાબાદમાં બની છે. અહીં કરાચીથી લાહોર જઈ રહેલી શાહ હુસેન એક્સપ્રેસ ટ્રેન સાથે શેખુપુરા જઈ રહેલી બસ અથડાઈ ગઈ. બસમાં બેઠેલા શીખ શ્રદ્ધાળુઓ ગુરુદ્વારા સચ્ચા સૌદાથી પાછા આવી રહ્યા હતા. તેઓ ધાર્મિક અનુષ્ઠાન કરવા ગયા હતા.


આ અકસ્માતમાં 19 શીખ શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે 12થી વધુ ઘાયલ થયા છે. ઘાયલોની નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. પાકના પીએમ ઈમરાન ખાને ઘટનામાં અંગે દુઃખ વ્યક્ત કર્યું અને ઘાયલોને સૌથી સારી મેડિકલ સહાય આપવા વહીવટી તંત્રને નિર્દેશ આપ્યો છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...