હવે સરકારે કહ્યું- 15 ઓગસ્ટ સુધી શક્ય નથી કોરોના વેક્સીન

ICMRએ કર્યો હતો દાવો, 15 ઓગસ્ટ સુધી બની જશે વેક્સીન



નવી દિલ્હી: કોરોના વાયરસની વેક્સીનને લઈને ICMRના દાવા પર ઘણા સંગઠનો અને વિરોધ પક્ષો તો સવાલ ઉઠાવી જ રહ્યા હતા, હવે વિજ્ઞાન મંત્રાલયે પણ કહી દીધું છે કે, 2021 પહેલા વેક્સીન ઉપયોગમાં આવવાની શક્યતા નથી. ICMRએ દાવો કર્યો હતો કે, 15 ઓગસ્ટ સુધી કોરોનાની વેક્સીન ઉપયોગ માટે ઉપલબ્ધ હશે. તેણે કેટલીક પસંદ કરાયેલી હોસ્પિટલો અને સંસ્થાઓને ટ્રાયલની પ્રક્રિયા ઝડપી કરવાનો નિર્દેશ પણ અપાયો હતો. હવે સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલયે કહ્યું છે કે, 140 વેક્સીનમાંથી 11 હ્યુમન ટ્રાયલ માટે તૈયાર છે, પરંતુ આવતા વર્ષ સુધી મોટા પાયા પર ઉપયોગની શક્યતા ઓછી જ નજર આવી રહી છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial


વિશ્વમાં મનુષ્યો માટે ટ્રાયલ માટે તૈયાર છે 11 વેક્સીન



મનુષ્યો પર ટ્રાયલ માટે 11 વેક્સીન તૈયાર છે અને તેમાંથી બે ભારતમાં બની છે. એક ICMR અને બાયોટેકે મળીને બનાવી છે, તો બીજી ઝાયડસ કેડિલાએ બનાવી છે. મંત્રાલયે રવિવારે કહ્યું કે, 6 ભારતીય કંપનીઓ વેક્સીન પર કામ કરી રહી છે. ICMRની ‘કોવેક્સીન’ પણ હ્યુમન ટ્રાયલ માટે તૈયાર છે અને તેને મંજૂરી મળી ગઈ છે.


અધિકારીનો દાવો, 1 વર્ષ પહેલા વેક્સીન નહીં



ICMRએ જ્યારે દાવો કર્યો કે, 15 ઓગસ્ટ સુધી કોરોનાની વેક્સીન ઉપયોગમાં લાવવાનો પ્રયાસ કરાશે તો તેના એક દિવસ પછી જ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક વિકાસ પરિષદ CSIR-CCMBના ટોચના અધિકારીએ કહ્યું કે, આ પ્રક્રિયામાં ઘણા ક્લીનિકલ ટ્રાયલની જરૂર પડે છે અને એટલે એક વર્ષ પહેલા વેક્સીનને લાવવી શક્ય નથી. તો, ICMRએ કહ્યું છે કે, કોરોના જેવી ખતરનાક બીમારીની વેક્સીન માટે ક્લીનિકલ ટ્રાયલની જરૂર છે અને દુનિયાભરમાં ફાસ્ટટ્રેકથી તેને કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


વિપક્ષે પણ કર્યા સવાલ


MCP મહાસચિવ સીતારામ ચેયુરી

MCP મહાસચિવ સીતારામ યેચુરીએ ICMR પર આરોપ લગાવ્યો કે વેક્સીન બનાવવાની ઉતાવળ એટલા માટે થઈ રહી છે કે જેથી 15 ઓગસ્ટે વડાપ્રધાન તેની જાહેરાત કરી શકે. તેમણે કહ્યું કે, વેક્સીન બનાવવામાં જરૂરી વૈશ્વિક માપદંડોનું પાલન નથી કરવામાં આવી રહ્યું.


ICMRએ કરી હતી સ્પષ્ટતા


ICMRએ જણાવ્યું કે, દુનિયાભરમાં ટ્રાયલ માટે ફાસ્ટટ્રેક રીતોને અપનાવાઈ રહી છે. તેમાં મનુષ્યો અને પશુઓ પર સાથે ટ્રાયલ કરવામાં આવે છે. પોતાના આદેશ વિશે ICMRએ કહ્યું કે, લાલિયાવાડીથી બચવા માટે આ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો હતો. ICMRએ સ્ટેટમેન્ટમાં કહ્યું કે, આ પ્રક્રિયામાં લાલિયાવાડીને રોડું નહીં બનવા દેવાય. તેમાં એમ પણ કહેવાયું કે લોકો સુધી જલદીથી જલદી વેક્સીન પહોંચાડવા માટે ફોર્માલિટી નથી કરવામાં આવી રહી અને ઝડપથી વૈજ્ઞાનિક રીતે કામ કરવામાં આવી રહ્યું છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...