ભારતમાં 15 ઓગસ્ટે લોન્ચ થઈ શકે છે કોરોનાની રસી COVAXIN

કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે સારા સમાચાર આવી રહ્યા છે. 15 ઓગસ્ટે કોરોના વાયરસની વેક્સિન કોવેક્સીન (Covaxin) લોન્ચ થઈ શકે છે. આ વેક્સિન ફાર્માસ્યૂટિકલ કંપની ભારત બાયોટેકે તૈયાર કરી છે. ભારત બાયોટેક અને ICMR આ વેક્સીન લોન્ચ કરી શકે છે. હાલમાં જ આ વેક્સિનના હ્યુમન ટ્રાયલને મંજૂરી મળી હતી.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


ICMRએ જાહેર કરેલા પત્ર મુજબ, 7 જુલાઈથી હ્યુમન ટ્રાયલ શરૂ થઈ જશે. જો ટ્રાયલમાં સફળતા મળી તો આશા છે કે 15 ઓગસ્ટ સુધીમાં વેક્સિન લોન્ચ થઈ શકે છે. સૌથી પહેલા ભારત બાયોટેકની વેક્સિન માર્કેટમાં આવી શકે છે. આ પત્ર ICMR અને તેના તમામ સ્ટેકહોલ્ડર્સ (જેમાં એમ્સના ડૉક્ટર પણ સામેલ છે)એ જારી કર્યો છે. તેમનું કહેવું છે કે, જો ટ્રાયલ દરેક તબક્કામાં સફળ રહી તો 15 ઓગસ્ટ સુધીમાં કોરોના વાયરસની રસી બજારમાં આવી શકે છે. હાલ તો ICMR તરફથી આ અનુમાન લગાવવામાં આવ્યું છે.




મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપની ભારત બાયોટેકે દાવો કર્યો હતો કે તેની રસીને ફેઝ-1 અને ફેઝ-2ના હ્યુમન ટ્રાયલ માટે DCGI તરફથી લીલી ઝંડી મળી છે. કંપનીનું કહેવું છે કે, ટ્રાયલ જુલાઈના પહેલા અઠવાડિયામાં શરૂ કરવામાં આવશે. ભારત બાયોટેક વેક્સિન તૈયાર કરતી અનુભવી કંપની છે.


ભારત બાયોટેકે પોલિયો, રેબીઝ, રોટાવાયરસ, જાપાની ઈનસેફ્લાઈટિસ, ચિકનગુનિયા અને ઝીકા વાયરસ માટે રસી બનાવી છે. જણાવી દઈએ કે, કોરોનાની રસીના એનરોલમેન્ટની શરૂઆત 7 જુલાઈથી થઈ શકે છે. જે બાદ તબક્કાવાર ટ્રાયલ કરાશે. જો ટ્રાયલ સફળ રહ્યું તો 15 ઓગસ્ટે રસી લોન્ચ થઈ શકે છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...