અ’વાદનું હીરા બજાર પણ મંદીના માહોલમાં સપડાયું, 100 કરોડના નુકસાનનો અંદાજ

અમદાવાદ: દેશના ટોપ કોરોનાગ્રસ્ત શહેરોમાં સામેલ અમદાવાદમાં હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાનગી ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે કોરોના લોકડાઉનની અસરને કારણે શહેરના હીરા માર્કેટમાં 100 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. સુરતમાં વધી રહેલા કેસોને જોતા હીરા માર્કેટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે શહેરનું બાપુનગર હીરા માર્કેટ પણ બંધ થવાને આરે છે.


અમદાવાદનો હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં
મુંબઈ બાદ સુરત અને હવે અમદાવાદમાં હીરા ઉદ્યોગમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. અનલોક-1 જાહેર થયા બાદ હીરા માર્કેટ શરૂ થતાની સાથે બંધ કરવાની ફરજ પડી હતી. અનલોક-2માં વધુ સરકારે વધુ છૂટછાટો આપી છે પરંતુ હીરા ઉદ્યોગની સ્થિતિ ઠેરની ઠેર રહી ગઈ છે. નોંધનીય છે કે, બાપુનગરનું હીરા માર્કેટ જે હંમેશા ધમધમતું હોય છે. પરંતુ સુરતના હીરા ઉદ્યોગની અસર બાપુનગરના હીરા માર્કેટ પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ વર્ષે માત્ર હીરા ઉદ્યોગ જ નહીં પરંતુ દરેક સેક્ટરના ઉદ્યોગોમાં લોકોને મુશ્કેલી અને નુકસાનનો વેઠવવાનો વારો આવ્યો છે.


બાપુનગર હીરા માર્કેટમાં સતત મંદીનો માહોલ
હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, લોકડાઉન બાદ અમદાવાદના હીરા માર્કેટમાં સતત મંદીનો માહોલ રહ્યો છે. જો સરકાર ધ્યાન નહીં આપે તો કારીગરોની હાલત ખૂબ જ કફોડી બને તેવી શક્યતાઓ છે. અનલોક-2માં વધુ છૂટછાટો મળતા થોડી આશાની કિરણો દેખાઈ હતી, પરંતુ સુરતમાં કોરોનાના કેસ અચાનક જ વધી જતાં ત્યાંના હીરાના કારખાના બંધ કરવામાં આવ્યા હતા. હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે, જ્યાં સુધી મુંબઈમાં હીરા ઉદ્યોગ શરૂ નહીં થાય ત્યાં સુધી આ પરિસ્થિતિ યથાવત રહેશે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...