જેક્લિન ફર્નાન્ડિઝે આ કારણથી છોડ્યું સલમાનનું પનવેલ સ્થિત ફાર્મ હાઉસ
જેક્લિને છોડ્યું સલમાનનું ફાર્મ હાઉસ

જેક્લિન ફર્નાન્ડિઝ કોરોના વાયરસના કારણે જ્યારથી લોકડાઉન લાગુ થયું હતું ત્યારથી સલમાન ખાન અને તેના પરિવાર સાથે તેના પનવેલ સ્થિત ફાર્મ હાઉસ પર રહેતી હતી. પરંતુ એક ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે, જેક્લિને ફાર્મ હાઉસ છોડી દીધું છે અને તે મુંબઈ પોતાની એક ફ્રેન્ડ માટે પરત ફરી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
આ કારણથી લીધો નિર્ણય

રિપોર્ટ મુજબ, જેક્લિન ફર્નાન્ડિઝની ફ્રેન્ડ લોકડાઉન દરમિયાન મુંબઈમાં એકલી રહેતી હતી. બંને ખૂબ જ સારા મિત્રો છે અને તેઓ રોજ એકબીજા સાથે વીડિયો કોલથી વાતો કરતી હતી. જેક્લિનને જેવી જાણ થઈ કે, તેની ફ્રેન્ડ પરેશાન છે અને તણાવમાં છે, તેવી તે તરત જ ફાર્મ હાઉસ છોડીને તેની સાથે રહેવા જતી રહી. તેને લાગ્યું કે, ફ્રેન્ડને અત્યારે તેની સૌથી વધારે જરૂર છે, તેથી હમણા તે ત્યાં જ રહેશે.
લોકડાઉન થયું ત્યારથી સલમાન સાથે રહેતી હતી

લોકડાઉન થયું તરત જ જેક્લિન સલમાન સાથે ફાર્મ હાઉસ પર રહેવા જતી રહી હતી. જ્યાંથી તે સતત વીડિયો અને તસવીરો શેર કરતી હતી. નિસર્ગ વાવાઝોડાના કારણે ફાર્મ હાઉસને ઘણુ નુકસાન થયું હતું, તેની તસવીરો પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આટલું જ નહીં, સલમાન અને જેક્લિને ‘તેરે બિના’ સોન્ગ પણ ત્યાં જ સૂટ કર્યું હતું.
Comments
Post a Comment